કીર્તન લખેલ છે 🙏🙏🙏શ્રાદ્વ નિમિતે કીર્તન shradhdh nimite kirtan devuba mevasa
HTML-код
- Опубликовано: 18 сен 2024
- ( કાગવાસ નાખતા પેહલા આ શ્લોક બોલવાથી )
પિતૃ પ્રસન્ન થાય છે અને શ્રાદ્વ સ્વીકારે છે
[ "અનાદિ નિધનો દેવ શંખચક્ર ગદાધર
અક્ષય પુંડરીક્ષ પિતૃમોક્ષ પ્રદોભાવ "]
( " શ્રાદ્ધ પક્ષ ")
પિતૃઓના આશીર્વાદ અંતરિક્ષ પરથી
આપણા પર સૈદેવ રહે
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
પ્રભુજી કાઈ કરે છે વિચાર રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સવાર થયુંને રામ પિંડ લેવા ચાલ્યા
સીતાજીતો જોવે પ્રભુની વાટ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
ખરા બપોર થયા તોય પ્રભુજી નો આવ્યા
સીતાજીએ કરી નાખ્યા શ્રાદ્ધ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
શ્રાદ્ધ વિધિ પતિ ગઈને પ્રભુજી પધાર્યા
સીતા તમે આપોને પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો બ્રામ્હણને પૂછ્યું
બ્રામ્હણે નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો ગાયમાતાને પૂછ્યું
ગાયમાતાએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો તુલસીમાતાને પૂછ્યું
તુલસીમાતાએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો ફાલ્ગુની નદીને પૂછ્યું
ફાલ્ગુની નદીએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
જંગલની ઝાડીમાં માં ઉભો એક પીપળો
પીપળે દીધા છે પ્રમાણ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા
સીતાજીના હૈયે હરખ ન માય રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
દશરથ રાજાનું શ્રાદ્ધ જે કોઈ ગાશે
એના પિતૃની તૃપ્તિ થાય
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે. સત્કાર્યો માટે, સજજનો તરફ આદર તથા કૃતજ્ઞતાની ભાવના રાખવી તેને શ્રાદ્ધ કહે છે. ઉપકારક અને સારી બાબતો પ્રત્યે આદર પ્રક્ટ કરવો, જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે. આવી શ્રદ્ધા હિન્દુ ધર્મની કરોડરજજુ છે. આ શ્રદ્ધાને જો દૂર કરવામાં આવે તો હિન્દુ ધર્મની મહત્તા નાશ પામશે અને તે સત્વહીન બની જશે. શ્રદ્ધા હિન્દુ ધર્મનું એક અંગ છે. માટે શ્રાદ્ધ એ એનું ધાર્મિક કાર્ય છે.
મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,
#ramdevpir
#HarHarMahadev
#jaymahakal
#gujaratisatsang
#OmNamahShivaya
#ShivBhajan
#gujaratibhajan
#bhaktisangeet
#devotionalsongs
#religioussongs
#spiritualsong
#devkurben mevasa
#shivaay
#mahashivratri
#Gujarati_Kirtan
#gujarati_traditional_kirtan #gujarati_bhakti_geet
#કીર્તન
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#ભજન
#ગુજરાતી
#ગુજરાતીભજન
#gujaratisatsang
#prabhatiya
#satsang_કીર્તન
#ramamndal
#prgat ramdev mevasa
#krishnakirtan
#radhakrishna
#satsangmandal
જય ભોળાનાથ દેવકુરબેન રામદેવપીર સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ
ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏
આભાર જય રામાપીર 🙏🙏અમારા કીર્તન સાંભળતા રહો ને લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો