સતી સ્મારક વ્રજવાણી ધામ ||૧૪૦ આઈરાણી સતી સ્મારક વ્રજવાણી ધામ કચ્છ રાપર

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • લગભગ 550 વર્ષ સુધી આહીરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને 'અપિયા' કર્યા હતા.
    સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે.
    સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશદેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો.
    સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.
    ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ. એટલે યુવાનોને રાસના સ્થળે મોકલવામાં આવ્યા. ઉશ્કેરાયેલા એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પરંતુ તેનો દેહ અદૃશ્ય થઈ ગયો.
    ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરાણીઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ.
    વ્રજવાણી ધામના મૅનેજર વસ્તાભાઈ આહીરના કહેવા પ્રમાણે, "કૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું."
    અહીં 140 પાળિયા ઉપરાંત ઢોલીનો પણ પાળિયો છે, જેની ઉપર કાન માંડનારને ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતમતાંતર હોઈ શકે.
    140 આયરાણીઓ અને ઢોલીના પાળિયા સાથેની જોડાયેલો ઇતિહાસ એકઆયામી નથી અને બીજી કેટલીક વાયકાઓ પણ તેના સાથે જોડાયેલી છે.
    #video #ai #vlogs #shortsh #trending #meldimaa #happy #rajameldistatus #રાજામેલડીવાળા #khodaldham #ahirani #dwarka

Комментарии •